- ( શાંત મન )- એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ. જે બહુ કિંમતી ઘડીયાળ હતી, એટલે - તે માણસે તેની ઘણી શોધ કરી... પણ, તે ઘડીયાળ ન મળી ! તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા... અને, તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું... તેથી, તે માણસે વિચાર કર્યો કે - આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું... તેણે છોકરાઓને કહ્યું કે - જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે... તેને તે સરસ મજાનું ઇનામ દેશે. આ સાંભળીને - છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા... અને, અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા... પરંતુ, કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી ! ત્યારે, એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું - તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે... પણ, બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે ! અમીર માણસે તેની વાત માની લીધી. તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા... થોડી વાર બાદ - તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ! તેણે છોકરાથી પૂછ્યું - "તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??" છોકરાએ જવાબ આપ્યો - "મેં કાંઈ કર્યું નથી... બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો... અને, ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો... કેમ કે - 'વાડા' માં શાંતિ હતી... એટલે - મેં તેનો અવાજ સાંભળી લીધો... અને, તે દિશામાં જોયું ! સારાંશ - એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે, એક 'થાકેલા' મગજની તુલનામાં ! માટે - દિવસમાં થોડા સમયના માટે... આંખો બંધ કરીને, શાંતિથી બેસજો ! પોતાના મસ્તકને શાંત થવા દેજો... પછી, જૂઓ ! તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !! કેમકે - દરેક આત્મા - હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે... બસ, મનને શાંત કરવુ જ 'પડકાર' છે. આ પડકાર - થોડું અઘરું જરૂર છે... પણ, 'અસંભવ' જરાય નથી !!